ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ દિલીપ વેંગસરકરનું કહેવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને એડવાન્ટેજ છેવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અગાઉ મેચ પ્રેક્ટિસનો અભાવ કેપ્ટન વિરાટ કોહલી માટે ચિંતાનો વિષય નથી પરંતુ લિજેન્ડરી બેટ્સમેન દિલીપ વેંગસરકરનું માનવું છે કે આ વાત ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ ગુરૂવારે સાઉથમ્પ્ટન પહોંચી હતી પરંતુ તેને ત્રણ દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવું પડશે. આ જ મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો પ્રારંભ થશે.